Posts

Showing posts with the label શોર્યગાથા

સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા

Image
સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા લેખક  –  કલ્પેશ મેણિયા . આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા.

પાકિસ્તાનમાં રહીને પણ કટ્ટર હિન્દુત્વ ધરાવતા વિર રાણા હમિરસિંહ સોઢા ની શોર્યગાથા

પાકિસ્તાનમાં રહીને પણ કટ્ટર હિન્દુત્વ ધરાવતા વિર રાણા હમિરસિંહ સોઢા ની શોર્યગાથા લેખક  –  કલ્પેશ મેણિયા . 2૦૦ વર્ષની ગુલામી કર્યાં બાદ જ્યારે ૧૯૪૭ માં ભારતને આઝાદ કરીને અંગ્રેજો જતા રહ્યાં પરંતુ એક અલગ રાષ્ટ્ર નુ નિર્માણ કરતાં ગયા. પાકિસ્તાન, ગાંધીજીના અખંડ ભારતના બે ભાગલા પડ્યા બાદ મુસ્લિમો પોતાના નવાં રાષ્ટ્રની ખુશીમાં ઝુમી રહ્યાં હતા. પરંતુ એ સમયે લાખો હિન્દુ – મુસ્લિમો એ રાતોરાત પોતપોતાનુ સ્થાન બદલવુ પડયુ. બે રાષ્ટ્રો વચ્ચે સરહદ સીમા નક્કી થઈ ચુકી હતી. પરંતુ એક એવુ હિન્દુ રાજપૂત પરિવાર જેમણે પોતાનો ગઢ છોડીને જવાનું વિચાર્યું પણ નહીં. પરંતુ આ પરિવારે પાકિસ્તાનમાં જ રહીને પોતાનુ કટ્ટર હિન્દુત્વ નિભાવ્યુ અને હાલમાં પણ તેના વંશજો નિભાવી રહ્યાં છે. એક રાજપૂત ક્ષત્રિય વ્યક્તિ માટે પોતાના લોકોની રક્ષા એજ સૌપ્રથમ કર્તવ્ય બની રહે છે. આવો જ એક પરિવાર છે સોઢા પરિવાર. ૧૫૪૦ મા જ્યારે શેરશાહ શુરી સાથેના યુદ્ધમાં હુમાયુ હાર્યો ત્યારે તે નિરાધાર હતો, ઉપરાંત તેમની બેગમ ગર્ભવતી હતી. એવા સમયે આ પ્રભાવશાળી પરિવાર તેનો આશરો બન્યો હતો. અને એજ કિલ્લામાં ભારતના મહાન સામ્રાજ્ય નુ સપનું સાકાર કરનાર