Posts

Showing posts from September, 2020

સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા

Image
સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા લેખક  –  કલ્પેશ મેણિયા . આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા.

સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા

Image
સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા લેખક  –  કલ્પેશ મેણિયા . આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા.

સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

Image
સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ લેખક  –  કલ્પેશ મેણિયા . સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ (નવેમ્બર 14, 1799) ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા.

સોમનાથ જ્યોતિર્લીંગ અને સોમનાથ (પ્રભાસ પાટણ)

Image
સોમનાથ જ્યોતિર્લીંગ અને સોમનાથ (પ્રભાસ પાટણ) લેખક  –  કલ્પેશ મેણિયા . સૌરાષ્ટ્રદેશે વિશદે‌உતિરમ્યે જ્યોતિર્મયં ચંદ્રકળાવતંસમ | ભક્તપ્રદાનાય કૃપાવતીર્ણં તં સોમનાથં શરણં પ્રપદ્યે || 1 || ગુજરાતની ધર્મપરાયણતા યુગો યુગોથી ચાલી આવી છે. ભગવાન શ્રીકૃષ્ણ એટલે જ ગુજરાતમાં આવી વસ્યાં હતાં બાર જ્યોતિર્લીંગો પૈકીના ૨ ગુજરાતમાં છે સોમનાથ અને નાગેશ્વર અને બંને સૌરાષ્ટ્રમાં છે.

શ્રી ઘેલા સોમનાથની સ્થાપનાનો અદભુત ઇતિહાસ

Image
શ્રી ઘેલા સોમનાથની સ્થાપનાનો અદભુત ઇતિહાસ લેખક  –  કલ્પેશ મેણિયા . સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે તીર્થો અને સંતોની ભુમિ. પાંચાળનું એક સુંદર તીર્થધામ એટલે ધેલા સોમનાથ. જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થાનક આવેલું છે. ચોમાસામાં ઘેલા સોમનાથનું પ્રાકૂતિક સૌંદર્ય જોવું એ પણ એક જીવનનો લહાવો છે. શ્રી સોમનાથ મહાદેવનું આ ઘેલા સોમનાથ મંદિર સૌરાષ્ટ્રની પાંચાલ ભૂમિમાં આવેલ પવિત્ર તિર્થ સ્થળ ગણાય છે. જેના વિશે આ ઉક્તિઓ છે. કંકુવરણી ભોમકા, સરખો સાલે માળ, નરભક્ત નારાયણ નિપજે, ભોય દેવકો પાંચાળ ઢાંગી માંડણ ઠીક છે, કદી ન આગળ કાળ, ચાર પગ ચરતા ફરે, ખડ જેવો પાંચાળ (અર્થાત્ ઃ કંકુના રંગ જેવી પાંચાળ ભૂમિ છે, જ્યાં સરખી માળમાં આવેલા સુંદર મહેલ છે. સાચી ભક્તિથી નરમાંથી નારાયણ બનતા મનુષ્યની આ પાંચળ ભૂમિ, દેવભૂમિ મનાય છે. આ પ્રદેશમાં આવેલ માંડણ ડુંગરાની સુંદર હારમાળાઓ છે. આ પ્રદેશમાં પશુઓ બારે માસ મોજથી ચરતા રહે છે.) ઉન્મત ગંગા (ધેલો) નદીને કાંઠે આવેલ આ મંદીરનો આગવો ઇતિહાસ છે. જે કથા પ્રચલિત છે તે પ્રમાણે તે મુજબ ( ૧૪૫૭ આસપાસ ) ગુજરાતમાં મુસ્લિમ સુ

જૂનાગઢના દીવાન બહાઉદ્દીનભાઇની ​વર્ષો પહેલાની આ સત્યઘટના છે

Image
જૂનાગઢના દીવાન બહાઉદ્દીનભાઇની ​વર્ષો પહેલાની આ સત્યઘટના છે. લેખક  –  કલ્પેશ મેણિયા . વર્ષો પહેલાની આ સત્યઘટના છે. જુનાગઢમાં એ વખતે નવાબનુ શાસન હતું.એ સમયે જુનાગઢમાં એક કઠીયારા કુટૂંબના ભાઇ-બહેન રહેતાં.છોકરાનુ નામ બાવલો અને છોકરીનુ નામ હતું લાડલીબુ.નાનપણથી જ મા-બાપ પ્રભુના દરબારમાં ચાલ્યા ગયેલા,બંને એકલા રહેતા.દારુણ ગરીબી આંટો દઇ ગયેલી.ભાઇ-બહેન ભવનાથની તળેટીમાં જઇ,લાકડાં કાપીને માંડ ગુજરાન ચલાવતા. એક દિવસ બાવલો થાક્યો-પાક્યો ઘરે આવે છે અને લાડલીબુને કહે છે -“બહેન ! ભુખ લાગી છે..ખાવાનુ બનાવ.”ત્યારે માંડ આંસુ રોકીને લાડલીબુ જવાબ આપે છે – “ભાઇ ! ભુખ તો મને પણ લાગી છે,પણ ઘરમાં કાંઇ નથી.” બાવલો કહે છે – “વાંધો નહિ બેન ! દાતરડું લાવ.હું થોડાક લાકડાં લઇ આવુ.” લાડલીબુ ફરી છે – “એ તો હું પણ કરી શકત ભાઇ પણ દાતરડાની દાંતી બૂઠી થઇ ગઇ એટલે એને કકરાવવા(ધાર કઢાવવા,અણીધાર બનાવવા,પવરાવવા) હું લુહાર પાસે ગયેલી પણ પૈસા નો’તા એટલે લુહારે ના પાડી.” “લાવ,હું જાવ.લુહાર કરુણાથી કદાચ પીગળી જાય.” કહી બાવલો લુહાર પાસે ગયો.લુહારની ધમણ બહાર ભીડ ઓછી થઇ એટલે તેને પગે પડી કરગર્યો.લુહારને દયા આવી ને તેણે

જગન્નાથજીની રથયાત્રા વિષેની આ અજબ-ગજબ વાતો તમે નહીં જ જાણતા હોય!

Image
જગન્નાથજીની રથયાત્રા વિષેની આ અજબ-ગજબ વાતો તમે નહીં જ જાણતા હોય! લેખક  –  કલ્પેશ મેણિયા . જગન્નાથ પુરીની યાત્રા વિશે આપણે ખૂબ જ ઓછી વાતો જાણતા હોઈએ છીએ. આ નગરી જેટલી જૂની છે એટલી જ તેની વાતો અને તેની સાથે જોડાયેલી રથયાત્રાની વાતો પણ રસપ્રદ છે. -મંદિરનો ઝંડોઃ જગન્નાથ પુરી મંદિરની ઉપર લગાવવામાં આવેલ ઝંડો હંમેશા હવાની વિપરિત દિશામાં જ લહેરાતો દેખાતો હોય છે. -પુરીમાં હવાનો રુખઃ – દિવસના સમયે હવા સમુદ્રથી જમીન તરફ આવે છે અને સાંજના સમયે તેનાથી ઉલટું હોય છે. પરંતુ પુરીમાં તેનાથી ઊલટું હોય છે. -સુદર્શન ચક્રઃ- પુરીમાં તમે કોઈપણ જગ્યાએ ઊભા રહો, તમે મંદિરની ઉપર લગાવવામાં આવેલ સુદર્શન ચંક્રને જોશો તો તે હંમેશા તમારી સામે જ લાગેલું દેખાશે. -પુરીમાં પક્ષીઃ- જગન્નાથ મંદિરની ઉપર પક્ષી ઉડતા નથી દેખાતા. -જગન્નાથ પુરીનો ગુંબદઃ- જગન્નાથપુરી મંદિરના મુખ્ય ગુંબદની છાયા દિવસના કોઈપણ સમયે જોવા મળતી નથી. -પુરીનો પ્રસાદઃ- મંદિરમાં પ્રસાદ બનાવવા કે તૈયાર કરવા માટે 7 વાસણોને એકબીજા ઉપર રાખવામાં આવે છે અને આ પ્રસાદ સામગ્રીને લાકડા ઉપર પકવવામાં આવે છે. આ પ્રક્રિયામાં સૌથી ઉપરવાળા વાસણમાં સામગ્રી

1 હાથે જ 1 રાતમાં બન્યું આ શિવ મંદિર, અહીં શા માટે પૂજા કરવાની છે મનાઈ? જાણો અહિ.

Image
1 હાથે જ 1 રાતમાં બન્યું આ શિવ મંદિર, અહીં શા માટે પૂજા કરવાની છે મનાઈ? જાણો અહિ. લેખક  –  કલ્પેશ મેણિયા . ભારતમાં ભગવાન શિવનાં કેટલાંય મંદિર છે, પણ ઉત્તરાખંડનાં પિથૌરાગઢથી દૂર સભા બસ્તિરમાં એક એવું શિવ મંદિર છે જ્યાં ભોળાનાથની પૂજા થતી નથી. માન્યતા મુજબ અહીં મૂર્તિકારનાં શ્રાપને કારણે આ શિવ મંદિરમાં પૂજા ન થતી હોવાની માન્યતા છે. લોકો અહીં ફરવા આવે છે પણ શિવ મંદિરમાં પૂજા કરતાં નથી. આ શિવ મંદિર છે ઉત્તરાખંડનું હથિયા દેવાલય ઉત્તરાખંડ રાજ્યાનાં જનપદની નજીક પિથૌરાગઢથી ઘારચૂલા જતાં માર્ગ પર લગભગ 70 કિલોમીટર દૂર સ્થિત છે કસ્બા સ્થળ જ્યાંથી લગભગ 6 કિલોમીટર દૂર આવેલું છે ગામ સભા બલ્તિર. અહીં પર એક અભિશપ્ત હથિયા દેવાલયનું એક શાપિત મંદિર છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. અહીં દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે, ભગવાન ભોળાનાથનાં દર્શન કરે છે, મંદિરની અનોખી સ્થાપત્ય કળાને નિહાળે છે અને પુનઃ પાછા જતાં રહે છે. અહીં ભગવાન શિવની પૂજા કરવામાં આવતી નથી. એક હાથે બન્યું છે મંદિર આ મંદિરનું નામ એક હથિયા દેવાલય છે જેનો અર્થ છે કે એક હાથથી બનેલું મંદિર. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને જૂના ગ્રંથો, અભિ

પાકિસ્તાનમાં રહીને પણ કટ્ટર હિન્દુત્વ ધરાવતા વિર રાણા હમિરસિંહ સોઢા ની શોર્યગાથા

પાકિસ્તાનમાં રહીને પણ કટ્ટર હિન્દુત્વ ધરાવતા વિર રાણા હમિરસિંહ સોઢા ની શોર્યગાથા લેખક  –  કલ્પેશ મેણિયા . 2૦૦ વર્ષની ગુલામી કર્યાં બાદ જ્યારે ૧૯૪૭ માં ભારતને આઝાદ કરીને અંગ્રેજો જતા રહ્યાં પરંતુ એક અલગ રાષ્ટ્ર નુ નિર્માણ કરતાં ગયા. પાકિસ્તાન, ગાંધીજીના અખંડ ભારતના બે ભાગલા પડ્યા બાદ મુસ્લિમો પોતાના નવાં રાષ્ટ્રની ખુશીમાં ઝુમી રહ્યાં હતા. પરંતુ એ સમયે લાખો હિન્દુ – મુસ્લિમો એ રાતોરાત પોતપોતાનુ સ્થાન બદલવુ પડયુ. બે રાષ્ટ્રો વચ્ચે સરહદ સીમા નક્કી થઈ ચુકી હતી. પરંતુ એક એવુ હિન્દુ રાજપૂત પરિવાર જેમણે પોતાનો ગઢ છોડીને જવાનું વિચાર્યું પણ નહીં. પરંતુ આ પરિવારે પાકિસ્તાનમાં જ રહીને પોતાનુ કટ્ટર હિન્દુત્વ નિભાવ્યુ અને હાલમાં પણ તેના વંશજો નિભાવી રહ્યાં છે. એક રાજપૂત ક્ષત્રિય વ્યક્તિ માટે પોતાના લોકોની રક્ષા એજ સૌપ્રથમ કર્તવ્ય બની રહે છે. આવો જ એક પરિવાર છે સોઢા પરિવાર. ૧૫૪૦ મા જ્યારે શેરશાહ શુરી સાથેના યુદ્ધમાં હુમાયુ હાર્યો ત્યારે તે નિરાધાર હતો, ઉપરાંત તેમની બેગમ ગર્ભવતી હતી. એવા સમયે આ પ્રભાવશાળી પરિવાર તેનો આશરો બન્યો હતો. અને એજ કિલ્લામાં ભારતના મહાન સામ્રાજ્ય નુ સપનું સાકાર કરનાર

રાષ્ટ્રપતિને ચૂંટવા માટેની નક્કી કરેલી આ ચૂંટણી પ્રક્રિયા અદભૂત છે તમે જાણો છો ?

Image
રાષ્ટ્રપતિને ચૂંટવા માટેની નક્કી કરેલી આ ચૂંટણી પ્રક્રિયા અદભૂત છે તમે જાણો છો ? લેખક  –  કલ્પેશ મેણિયા . લખાણ થોડુ લાંબુ છે પણ વાંચવા માટે ખાસ ભલામણ કરુ છું. (સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરનારા મિત્રો ખાસ વાંચે ) વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ એટલે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડી ચૂક્યુ છે. આપણા વર્તમાન રાષ્ટ્રપતિ મહામહિમ પ્રણવ મુખરજીએ 25 જુલાઇ 2012થી પદ સંભાળ્યુ હતુ એટલે 24 જુલાઇ 2017ના રોજ એમનો કાર્યકાળ પુરો થાય છે. આપણા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે એ ભારતના નાગરીક તરીકે આપણે જાણી-સમજી શકીએ એ માટે અટપટ્ટી પ્રક્રિયાને સરળ ભાષામાં આપ સૌ મિત્રો સાથે શેર કરુ છું. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકોએ ચૂંટેલા ધારાસભ્યો અને સંસદસભ્યો લોકોના પ્રતિનિધી તરીકે ભાગ લે છે અને મતદાન કરે છે. આ ચૂંટણીમાં સૌ પ્રથમ ધારાસભ્યના મતોનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. આ માટે જે તે રાજ્યની કૂલ વસ્તીને તે રાજ્યના ધારાસભ્યોની સંખ્યા વડે ભાગવામાં આવે છે અને ત્યાર બાદ ફરીથી તેને 1000 વડે ભાગવામાં આવે છે. (આ ગણતરી માટે 1971ની વસ્તીગણતરી મુજબની

વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો

– વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો – લેખક  –  કલ્પેશ મેણિયા . ૦૧. જેનું ચારિત્ર્ય સારું છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે. ૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથી. ૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે. ૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે. ૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો. ૦૬. વિનય અને વિવેક, અપયશનો તત્કાલ વિનાશ કરે છે. ૦૭. સુખ માટે ક્યારેય, ધર્મનો ત્યાગ કરશો નહિ. ૦૮. બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે. ૦૯. ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી. ૧૦. અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ. ૧૧. રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહિ. ૧૨. રાજા, વિધવા, સૈનિક, લોભી, અતિ દયાળુ, અતિ ઉડાઉ અને અંગત મિત્ર – આ સાત સાથે નાણાંની લેવડ-દેવડ કરવી નહિ. ૧૩. આળસુ, ખાઉધરો, અળખામણો, ઘૂર્ત, ચાલાક, ક્રોધી અને વિચિત્ર વેશધારી – આ સાતને ક્યારેય પોતાના ઘેર ઊતારો આપવો નહિ. ૧૪. તપ, દમ, અધ્યયન, યજ્ઞ, દાન, સદાચાર અને પવિત્ર વિવાહ – આ ગુણો જે કુળમાં હોય છે તે